અષાઢી બીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ


હિંદુ ધર્મમાં તહેવારોનું સવિશેષ સ્થાન છે અને આપણી સંસ્કૃતિ આ તહેવારોને કારણે વધુ જીવંત થઇ ઉઠે છે. અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય અને અંત પણ તહેવારથી આવે છે. જેમ અષાઢી બીજને રથયાત્રાનાં પર્વ તરીકે ઉજવવામાં આવે છે, તે જ રીતે અષાઢી અમાસને દિવાસા તરીકે ઉજવવામાં આવે છે. અષાઢી બીજનો દિવસ હિંદુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમાં મહિનાનો બીજો દિવસ છે, જયારે શક સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો બીજો દિવસ છે. ચાતુર્માસનો આરંભ પણ આ મહિનામાં જ થાય છે. અષાઢ મહિનામાં ગૌરીવ્રત,અલુણા જેવા તહેવારો આવે છે. ભારતના કચ્છ જીલ્લાના કચ્છી લોકોના નુતન વર્ષનો આરંભ અષાઢી બીજથી થાય છે. ખેંગારજી પહેલાએ ગુજરાત રાજ્યના કચ્છ જીલ્લાની સ્થાપના સંવત ૧૬૦૫માં માગસર સુદ-૫ના કરી હતી. લાખો ફૂલાણી જે વિચારવંત રાજવી હતો..અસંખ્ય નવાનવા વિચારો તેના મનમાં જાગતા હતા. જ્યાં સુધી મનને શાંતિ ન થાય ત્યાં સુધી વિચારો કર્યા કરતા એક સમયે આ પૃથ્વીનો છેડો ક્યાં હશે? એવો વિચાર મનમાં આવ્યો અને પૃથ્વીના છેડા માટે પોતાના જાત પ્રયત્નો થવા જોઈએ એવું વિચારી થોડાક સાહસિક બહાદુર યુવાનોને પોતાની સાથે લઈ તે આ શોધમાં નીકળ્યા હતા લાખાજીના આ પ્રયાસને લોકો ‘સૂરજન’ ના નામથી ઓળખે છે. અંતે તેને વિજય પ્રાપ્ત ન થયો અને પાછા ફર્યા તે સમયે અષાઢ માસ શરૂ થયેલો અને ધોધમાર વરસાદથી વનરાજી ઠેર ઠેર ખીલી ઊઠેલી પરિણામે તેનો આત્મા બહુ પ્રસન્ન થયો અને કચ્છનું નવું વર્ષ અષાઢી બીજથી શરુ કરવા સમગ્ર કચ્છમાં ફરમાન મોકલ્યું. આથી છેલ્લા આઠસો વર્ષથી અષાઢી બીજ ધામધૂમથી કચ્છમાં ઉજવાય છે.
ભારતમાં અષાઢી બીજના મહાપર્વે દર વર્ષે ગુજરાતમાં અમદાવાદ અને જગન્નાથપુરીમાં અભૂતપૂર્વ રથયાત્રાના દર્શન પ્રતિવર્ષ લાખો-કરોડો લોકો પ્રત્યક્ષ અને દૂરદર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે અને તે દિવસે જગન્નાથપુરીમાં ભારતની અને વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું આયોજન થાય છે જેમાં લાખો લોકો જોડાય છે. આ પ્રણાલી અનેક વર્ષોથી ચાલી આવે છે. જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનનાં ત્રણ રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે. જેની ઉંચાઇ લગભગ ૪૫ ફુટ (૪-૫ માળ) જેટલી હોય છે. પુરીની રથયાત્રામાં જગન્નાથનાં રથનું નામ નંદીઘોષ છે. તેમજ અંગ્રેજી ભાષામાં, અતિશક્તિશાળી જેને રોકી ન શકાય તેવું, રસ્તામાં આવનાર તમામ અવરોધોને કચડી કાઢનાર, વગેરે અર્થમાં વપરાતો શબ્દ ‘જગરનોટ’ જગન્નાથપુરીનીં રથયાત્રા પરથી આવ્યો છે. અષાઢી બીજ એવો તહેવાર છે જે હિંદુ અને મુસ્લિમ ધર્મનો સાથે ઉજવાતો તહેવાર છે. રથયાત્રાને દિવસે નાત જાતના ભેદ ભાવ વગર હર કોઈ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે.વર્ષારાણીના આગમનનો મહિનો ગણવામાં આવે છે.

કુદરતના સફાઇ કામદાર તરીકે જેને ઉપમા આપવામાં આવી છે તેવા ગીધની પ્રજાતિની તા.9 અને 10 જૂન-18 શનિ, રવિવારના રોજ ફોરેસ્ટ ખાતા દ્વારા વસ્તી ગણતરી હાથ ધરાશે


સ્વચ્છતા અભ્યાન ના જુના કાર્યકર....
કુદરતના સફાઇ કામદાર તરીકે જેને ઉપમા આપવામાં આવી છે તેવા ગીધની પ્રજાતિની તા.9 અને 10 જૂન-18 શનિ, રવિવાર
ફોરેસ્ટ ખાતા દ્વારા વસ્તી ગણતરી હાથ ધરાશે. ભાવનગરમાં છેલ્લે ગણતરીમાં 83 ગીધ જોવા મળ્યા હતા.ભાવનગર જિલ્લામાં ખાસ કરીને મહુવા પથંકમાં ગીધ સમૂહ વસવાટ કરી રહ્યા છે. કારણ કે, બંધારા અને નારીયેળીના વાવેતરથી અહીં ગીધની પ્રજાતિને અનુકુળ વસવાટ મળી રહે છે. ખાસ કરીને ઉંચાઇ પર માળા બાંધીને રહેતા ગીધનો વસવાટ નારીયેરી ઉપર મોટા પાયે જોવા મળે છે. ઉપરાંત બંધારાના લીધે મૃત પશુઓ તેનો ખોરાક છે, જે અહીં પુરતા પ્રમાણમાં મળી રહે છે, જેથી અહીં ગીધની પ્રજાતિ સમૂહ વસવાટ કરતી હોવા મળે છે. ભાવનગર અને સૌરાષ્ટ્ર અને ઉત્તર-મધ્ય ગુજરાતમાં ગીધ જોવા મળી રહ્યા છે, સમગ્ર રાજયમાં છેલ્લી ગણતરીમાં 999 ગીધ જોવા મળ્યા હતા

પ્રામાણીક-વીર : મુબારક

પ્રામાણીક-વીર : મુબારક
“અન્નદાતા જય માતજી !”, નગરચર્યા કરવા નીકળેલા ભાવનગરનાં રાજા કૃષ્ણકુમારસિંહજીનાં કાનમાં શબ્દો અથડાયા. ગામની બકરીઓ ચરાવતો એક ગરીબ યુવાન પોતાના રાજાને જોઈને તેની સામે આદરથી પ્રણામ કરીને ઉભો હતો.
: “જય માતાજી”, ઝવેરી જેમ સાચા મોતીને પરખીલે, તેમ ભાવનગર ઠાકુરને યુવાન તરફ જોયું. “શું નામ છે તારું?” રાજાએ પુછ્યું. “મુબારક, અન્નદાતા..” ગરીબ જવાને નમ્રતાથી જવાબ આપ્યો.: “નગર માટે કામ કરીશ ?”
“જરૂર મહારાજ, કેમ નહી!” “તો ચાલ, બેસીજા બગીમાં..”, શાહીબગીનાં દરવાજા ખુલ્યા. ”માફ કરજો મહારાજ, પરંતુ અત્યારે આ બીજાની બકરીઓ ચરાવું છું, એ એના માલીકને સોંપતો આવું.” યુવાન બોલ્યો. “હું નિલમબાગ પાસે તારી રાહ જોઈશ.” ,મહારાજા ત્યાંથી ચાલી નીકળ્યા. અઢાર-અઢાર ગામનાં રાજા એક મુસ્લીમ યુવકની રાહ જોતા નિલમબાગના દરવાજા પાસે ઉભા છે.
ત્યાં મુબારક આવ્યો “હુકમ સરકાર..”. “આ નિલમબાગની રખવાળી કરી શકીશ ?” રાજાએ પુછ્યું. મુબારકે પુરા આત્મવિશ્વાસ સાથે ઉત્તર વાળ્યો, “જ્યાં સુધી આ ખોડીયામાં પ્રાણ હશે ત્યાં સુધી !” નિલમબાગની રખેવાળીનું કામ મુબારકને સોંપાયું. થોડા સમયમાં તો મુબારકની ધાક એવી પ્રસરી, કે મુબારકની ઈઝાજત વગર ત્યાં પાંદડું પણ ના ચાલે. તેનું કામ જોઈ રાજાએ તિજોરીની ચાવીઓ પણ મુબારકના હવાલે કરી. રાજાએ તેને તિજોરીની પુરી જવાબદારીઓ સોંપી. ત્યાં સુધી કે, રાણી ને પણ ઘરેણા જોઈતા હોય, તો મુબારક દ્વારા જ લઈ શકે.: એક વખત રાણીને કોઈ પ્રસંગ માટે પોતાના કિમતી હારની જરૂર પડી. મુબારકને બોલાવયો, અને હાર લેવાયો. મહારાણી પ્રસંગ પતાવી પાછા આવ્યાં. અને હાર ગળામાં જ રહેવા દીધો. પણ એ રાત્રે રાણીને નિંદર ન આવી. તેઓ પુસ્તક ખોલી વાંચવા લાગ્યા. થોડી વારમાં રાણીની આંખો ઘેરાવા લાગી. રાણી હાર કાઢી પુસ્તકમાં મુકી સુઇ ગયા, અને ભુલી ગયા કે પુસ્તકમાં તેમણે હાર રાખેલો છે, અને પુસ્તકને તેના સ્થાને રાખી દીધું.
સમય જતાં ફરીથી હારની જરૂર પડી. તિજોરી ખોલાવી, પણ હાર મળ્યો નહી. રાણીએ રાજાને વાત કરી. રાજાએ તુરંત જ મુબારકને બોલાવ્યો, “મુબારક ! ચાવીઓ ક્યાંય રહી ગઈ છે?” “હું મારા પ્રાણ ક્યાં મુકી શકું મહારાજ !” મુબારકે આશ્ચર્યથી પુછ્યું “પણ કેમ મહારાજ એમ પુછો’છો?”
“તિજોરી માંથી રાણીનો હાર ગાયબ છે”, રાજાએ મુબારકને માંડીને વાત કરી. એજ ઘડીએ મુબારક તેનાં ખભ્ભેથી રૂમાલ જમીન પર પાથરી, તેના પર ઉભો રહી, હાથ જોડીને બોલ્યો, ”મહારાજ મને એ હાર વિષે કઈંજ ખબર નથી.” મુબારક તેમનો વફદાર હતો, રાજાએ તેના પર વિશ્વાસ કર્યો.: પરંતુ, રાજાએ કૌતુકથી પુછ્યું ”આ વાતતો તું એમનેમ બોલી શકતો હતો, એમા આ રૂમાલ પર ઉભા રહીને બોલવાની શી જરૂર ?” “આ રૂમાલ હું પાંચ વખત પાથરું છું, અને આ રૂમાલ પર ઉભીને માત્ર ખૂદાને બંદગી કરું છું. આજે હું બોલું છું કે મે એ હાર નથી લીધો એનો આ પુરાવો છે…!!!”
સમય જતાં રાણીને પુસ્તક માંથી હાર મળે છે. રાજા મુબારકને બોલાવીને કહેછે,: “ભાઈ અમને માફ કરજે, હાર મળી ગયો છે.” ત્યારે મુબારક ચાવીનાં જૂડા રાજા સામે ધરી માત્ર એટલું બોલે છે, “મહારાજ હું મારું પેટ બીજેથી ભરી લઇશ, હવે આ જૂડા સાચવો. આ હારની રાહે જ હું અહીં હતો. હવે મારાથી અહીં કામ નહી થાય. આજ હાર પુસ્તકમાં મુકયો ને કાલ ક્યાંક બીજે મુકાય; તે’દી મુબારકનાં ખોડીયા માંથી પ્રાણ મુકાય. મારાથી આ સહન નઈ થાય.” ત્યારે ભાવનગર ઠાકુર એટલું જ બોલ્યા, “બેટા, હવે પ્રાણ મુકાય પણ મુબારકને ના મુકાય !” ને મુબારકે અંતિમ શ્વાસ સુધી રાજની સેવા કરી.
: એક વાર કૃષ્ણકુમારસિંહજી નિલમબાગનાં દરવાજે મુબારકનો ખાટલો ખાલી જોઈ મહારાજે પૂછવ્યું, “મુબારક ક્યાં છે ? કેમ દેખાતો નથી ?” સામેથી જવાબ આવ્યો, “મહારાજ હવે મુબારક ક્યારેય નહી દેખાય ! એ તો આ ફાની દુનીયા છોડીને નીકળી ગ્યો છે.” રાજા પોતાની સવારી પરથી ઉતરીને બોલ્યા “આજ દરબાર નહી ભરાય અને રાણીને ક’ઈદો કે આજ હું મહેલમાં જમવાં નહીં આવું. આજ મારે મુબારકના જનાજાને કાંધ આપવા જાવું છે.”
: રાજા જનાજાની રાહે ઉભા છે. ઘણી રાહ જોયા પછી પણ જનાજો ન નિકળ્યો. રાજાએ હુકમ કર્યો, તપાસ કરાવો જનાજો કેમ ન નિકળ્યો ? “મહારાજ મુબારકના ઘરે એક ખુણામાં મુબારકની બીબી રડે છે અને બીજાં ખુણામાં તેના બળકો; મુબારક માટે કફન નથી. કફન વગર જનાજો કેમ નીકળે !” “કેમ? ભાવનગર પગાર આપતુ’તું એનું શું થયું? શું એને કોઈ વ્યસન હતું?” “હા મહારાજ! એને વ્યસન હતું, જ્યારે ઘરે જાય ત્યારે રસ્તામાં જેટલાં સાધુ-સંતો-ફકીરો મળે એમને થોડું-થોડું આપતો જાય. ઘરે પહોંચે ત્યાં રાતી પાઈ પણ ના વધે.”
આ સાંભળી કૃષ્ણકુમારસિંહજીએ નમ આંખે મુબારકનો જનાજો તૈયાર કરાવ્યો. અને પોતાની પાઘડી ઉતારી માથે રૂમાલ બાંધીને પ્રાર્થના કરી “ઈસ્લામનાં નિયમ પ્રમાણે તમે કાંધ બદલતાં રહો છો, પણ આજ મારી તમને વિનંતી છે કે ત્રણ કાંધ બદલજો, પણ આ એક કાંધ તો હું નહીંજ બદલાવું!” ને રાજાએ છેક કબરસ્તાન સુધી મુબારકનાં જનાજાને કાંધ આપી… અંતે દફનાવતી વખતે કૃષ્ણકુમારસિંહજીના હાથ માંથી ધુળ અને આંખ માંથી આંસુ પડતા રહ્યાં. “બેટા મુબારક, મને માને માફ કરજે, મે સાચા મોતીને ઓડખવામાં થાપ ખાધી..!”
શીર્ષક : ગુર્જરી પ્રામણીક-વીર : મુબારક.
સંદર્ભ: માયાભાઈ આહિરનાં લોક-ડાયરા માંથ.

ભાવનગર અે નગર જ્યાં સંસ્કાર અને સાદગી હંમેશા સાથે સાથે રહ્યા... - સ્વામી વિવેકાનંદ મે-૧૮૯૧

ભાવનગર અે નગર જ્યાં સંસ્કાર અને
સાદગી હંમેશા સાથે સાથે રહ્યા...
- સ્વામી વિવેકાનંદ મે-૧૮૯૧
સ્વામીજી - લીંબડી અને વઢવાણ થઇને સિહોર રેલવે સ્ટેશને ઉતર્યા..સિહોરમાં ગૌતમેશ્વર મહાદેવ મંદિરની જગ્યાએ ગુપ્ત વેશમાં રહેલા નાના સાહેબ પેશવા ને મળ્યા ...
આ બંને મહાનુભાવોએ કરેલી ગુપ્ત ચર્ચા પણ એટલી જ ગુપ્ત રહી...
સિહોરથી વલભીપુર ભગવાન ગૌતમ બુદ્ધના વિચારોને લઇને વિહાર કરી રહેલા બૌદ્ધ ભિક્ષુ સાથે ચર્ચા કરી- મુલાકાત કરી.
વલભીપુરથી પાલિતાણા અહિંસા પરમો ધર્મના વયોમ માં વિહરતા સફેદ ધજાના દર્શન..કરી આ જગતને અહિંસા પરમો ધર્મના સંદેશને વંદી રહ્યાં... ત્યારબાદ પાલિતાણાથી ભાવનગરની મુલાકાતે ...આવવાનું મૂળ કારણ ભાવનગરના રાજ્યકરતાઓ અને દિવાન - પરંપરા વિશે તેઓએ ખૂબ સાંભળેલું...
ગાંધીજીના ગુરૂ સુરતી સાહેબના ...પ્રયાસને કારણે ભાવનગરના પૂર્વ દિવાન ગૌરીશંકર ઉદય શંકર ઓઝા કે જેઓએ -ભાવનગરના બાળ મહારાજા સર તખ્તસિંહજી નું લાલન પાલન એક પિતા તરીકે કરેલું ...ભાવનગરના દિવાન પદે અને ભાવનગર મહારાજાના પિતૃતુલ્ય શ્રી ગૌરીશંકર ઉદયશંકર ઓઝા પાછલી અવસ્થામાં -સંન્યાસ ધર્મ ગ્રહણ કરી સાધુ બની ગયેલા -શ્રી જશોનાથ મહાદેવ મંદિર હાેલ ખાતે ચાલતા નિયમિત સત્સંગમાં -બાળ સંન્યાસી વિવેકાનંદજી પ્રવચનનો લાભ લીધો -સંન્યાસી ગંગા ઓઝાના પ્રયાસથી ભાવનગર મહારાજા સર તખ્તસિંહજી સાથે મુલાકાત ગોઠવાઈ - સને ૧૮૯૩ વિશ્વ ધર્મ પરિષદ - શિકાગો અમેરિકા - ખાતે યોજાનાર -
વિશ્વ ધર્મ પરિષદમાં યુવાન બાળ સંન્યાસી વિવેકાનંદ ભાગ લે તેવી ચર્ચા થઇ -
આ વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવાની ભલામણ મુંબઈ ઇલાકાના ગવર્નર -કરી શકે અને મુંબઈ ઇલાકા ના ગવર્નર શ્રી- કોલ્હાપુર મહારાજાના ખાસ મિત્ર હતા..
બન્ને સાથે ક્રિકેટ રમતા -
ભાવનગર મહારાજા સર તખ્તસિંહજી અને કોલ્હાપુર મહારાજા બંને વિદેશમાં સાથે ભણેલા -
આ સંબંધના નાતે ભાવનગર મહારાજા સર તખ્તસિંહજી એક ભલામણ પત્ર કોલ્હાપુર મહારાજાને લખેલ ...
આ પત્ર - વિશ્વધર્મ પરિષદમાં શિકાગો - અમેરિકા ખાતે જવા માટે નિમિત બનેલ...
સ્વામી વિવેકાનંદનો ભાવનગર સાથે ત્યાર પછી પણ નાતો જળવાઇ રહેલ ...ત્યારબાદ કરેલા પત્ર વ્યવહારમાં ગાંધીજીના ગુરૂ પારસી સુરતી સાહેબને જે પત્ર લખેલો એમાં -
લખેલું કે...
ભાવનગર એ નગર જ્યાં સંસ્કાર અને સાદગી હંમેશા સાથે રહ્યાં..
- સ્વામી વિવેકાનંદ
સંકલન : અજીતસિંહ વાજા ભાવવંદના ભાવનગરના
જય ભાવનગર

ભાવનગરનો સ્થાપના દિવસ ભાવનગરનો જન્મદિવસ ભાવનગર રાજ્યની કેટલીક વાતો તાજી કરીએ


ભાવનગરનો સ્થાપના દિવસ ભાવનગરનો જન્મદિવસ
*અક્ષય તૃતીયા*
આપણું ભાવનગર
આપણાં સૌનું ભાવનગર
આવો સૌ સાથે મળી
ભાવ વંદના કરીએ..

ભાવનગરની સ્થાપના ઠાકોર ભાવસિંહજી રતન સિંહજી ગોહિલે
અખાત્રીજના પરમ પવિત્ર દિવસે અઢી પહોર ચઢે
આજનું જે ગોળ બજાર છે ત્યાં
થાંભલી રોપી આસોપાલવનું તોરણ બાંધ્યું ...ભાવનગરના પાદર દેવકી તરીકે મેલડી માતાજીનું મંદિર પાદર દેવકી વડવા ખાતે છે
ગ્રામ દેવી તરીકે ભગવતી રૂવાપરી માતાજી પૂર્વ દિશામાં દરિયા કિનારે બેઠા છે
ગોહિલવાડના સહાયક દેવી તરીકે શ્રી ખોડિયાર માતાજી રાજપરા ગામે બિરાજમાન છે
આવા સુંદર મુહર્ત ભાવનગરની સ્થાપના કરવામાં આવી
સમગ્ર વડવા ગામનો ગામ ધુમાડો બંધ કરી લાપસી તથા મગનું ભોજન કરાવવામાં આવ્યું ...
સંવંત ૧૭૭૯ વૈશાખ સુદ ત્રીજના દિવસે સ્થાપના કરી ..
ઇ.સ.૨૦૧૮-૧૭૨૩=૨૯૬
૨૯૬ મો...સ્થાપના દિવસ..
શુભ જન્મ દિવસ આવો સૌ સાથે મળી...ઊજવીઅે..
ઠાકોર ભાવસિંહજી રતનસિંહજી એ ભાવનગરની સ્થાપના કરી ...
તેઓના નામ પરથી ભાવનગર એવું નામ રખાયું ..
સિહોરથી રાજગાદી બદલી ખંભાતના અખાત ઉપર વડવા ગામ નજીક ...સ્થળ પસંદ કરવામાં આવ્યું..
આનું કારણ ...મરાઠા સરદાર પિલાજી ગાયકવાડ અને કંથાજી કદમ બા‍ંડે સૌરાષ્ટ્ર પર ચડી આવ્યા ...ઘમાસાણ યુદ્ધ થયું અને ખંડણી વગર જ પરત ચાલ્યા ગયા...આથી ભવિષ્યમાં આ તકલીફથી બચવા નવી રાજધાની માટે જગ્યાની પસંદ કરવામાં આવી ..
આવો મિત્રો આજે આપણે
સુ-વિકસિત જૂના ભાવનગર રાજ્યની કેટલીક વાતો તાજી કરીએ
જૂના ભાવનગર રાજ્યની શક્ય તેટલી વાતો અહીં મૂકવાનો પ્રયાસ કર્યો છે .
ભાવનગર જૂના રાજ્યમાં રેલવે માર્ગ વાહન વ્યવહાર માટેના ધોરી માર્ગ બ્રિટિશ દરજ્જાના બંદરો એરપોર્ટ રેલવે ટેલિફોન એક્સચેન્જ ટપાલ ખાતું વિશાળ તળાવ પાણીની વ્યવસ્થા જેવા અનેક પ્રશ્નો અહીંયા સુપેરે સંપન્ન થયા છે આપણે સૌ જાણીને આનંદ થશે કે આજ કરતાં પણ વધુ વિકસિત ભાવનગર જૂનું રાજ્ય હતું ...
આપણા આજના કહેવાતા રાજકીય આગેવાનો પાસે કોઈપણ પ્રકારની આપણા જિલ્લા માટે કોઠા સુજ નો અભાવ સ્પષ્ટ દેખાઈ આવે છે..
આમ છતાં કોઈને ઉતારી પાડવાની અમારી કોઈ મંછા નથી ..
આજના ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે જૂની વાતોને માત્ર સંસ્મરણ કરીએ અને ભાવ વંદના કરી ...
ઈ.સ.૧૮૫૧ ટપાલ ખાતાની શરૂઆત કરવામાં આવી
ઇ.સ ૧૮૫૨ પ્રાથમિક શાળા તથા કન્યા શાળાનું નિર્માણ કરવામાં આવ્યું ...જે આગળ જતાં ઈ.સ ૧૯૨૨ માં બસોને સોળ પ્રાથમિક શાળાઓ હતી જેમાં કુમાર શાળા અને કન્યા છાત્રાલય કન્યા શાળાઓ અલગ અલગ રીતે હતી
ઈ.સ ૧૯૪૮ દરબારી પ્રાથમિક શાળાઓ ૩૪૨ અને ગ્રામ સુધારણા ફંડ સંચાલિત ૧૩૨ પ્રાથમિક શાળાઓ હતી
ઇ.સ ૧૮૫૬ માધ્યમિક શાળાઓની સ્થાપના
એંગ્લો વર્નાક્યુલર શાળાની સ્થાપના
ઈ.સ ૧૮૭૧ માધ્યમિક શાળાઓ મહુવા સિહોર કુંડલા બોટાદ અને તળાજા તે પાંચ પરગણાના શાળાઓની સ્થાપના કરવામાં આવી ...
ઇ.સ ૧૮૮૫ ભાવનગર રાજ્યમાં બે અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવામાં આવી
ભાવનગર બંદર ધમધમતું અને વિકસીત બંદર હતુ..
ઇ.સ.૧૮૬૦ બ્રિટિશ બંદરનું દરજ્જો પ્રાપ્ત થયો...
ઇ.સ ૧૮૭૦ જુવાન સિંહજી સંસ્કૃત પાઠ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું
ઈ.સ.૧૮૭૪ માં ટેલિગ્રાફ ઓફિસની શરૂઆત કરવામાં આવી..
ઇ.સ.૧૮૭૨ બી.બી.એન્ડ વઢવાણથી ભાવનગર રેલવે લાઇનનું કામ શરૂ થયું હતું
રેલવે વિરમગામથી વઢવાણ સુધી લંબાવવામાં આવી આ બ્રોડગેજ લાઇન હતી ..
ઇ.સ.૧૮૭૭ થી ઇ.સ ૧૮૮૦ ભાવનગર ગોંડલ બોટાદ રેલવે લાઇનનું કામ તથા ભાવનગરથી વઢવાણ ગોંડલ ધોરાજી સુધીનું કામ પૂર્ણ કરવામાં આવેલું
ઈ.સ ૧૮૮૧ ધોરાજી પોરબંદર રેલ્વે માર્ગ તૈયાર કરાયો એકવીસમી જાન્યુઆરીના રોજ ખુલ્લો મુકાયો
ઇ.સ.૧૮૮૪ સમગ્ર કાઠિયાવાડમાં સૌ પ્રથમ શામળદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી ..
પૂજ્ય મહાત્મા ગાંધી આ કોલેજના વિદ્યાર્થી રહી ચૂક્યાં છે ..
ઇ.સ.૧૮૮૨ માં બાર્ટન લાઇબ્રેરી અને સંગ્રહસ્થાન અસ્તિત્વમાં આવ્યા ..
ઇ.સ.૧૮૮૩ માં ગુજરાતી માધ્યમની શાળાઓ ઉપરાંત એક ઉુદુ શાળાની શરૂઆત કરવામાં આવી ..
ઈ.સ ૧૮૮૫ સંસ્કૃત વેદ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું
પ્રાચીન ભારતીય ઋષિ સંસ્કૃતિ વેદોનું અધ્યયન માટે ...
ઇ.સ.૧૮૯૨ માં ડોક્ટર બરજોરજી ના નેતૃત્વ નીચે
સર તખ્તસિંહજી હોસ્પિટલની શરૂઆત કરાઇ હતી...
ઇ.સ ૧૮૮૭-૮૮ દક્ષિણના મહાન ચિત્રકાર રાજા રવિ વર્મા ભાવનગરની મુલાકાત લીધી હતી
ઇ.સ. ૧૮૮૮ માં ખેડૂતોને શાહુકારોના ચુંગાલમાંથી મુક્ત કરવા ..તાલુકો ધારી એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો
કાઠીયાવાડ થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરવામાં આવી..
ઇ.સ ૧૮૯૨ થી આ સંસ્થા સ્વાધ્યાય સંસ્કાર પ્રસાર અને સમાજસેવાની પ્રવૃત્તિ કરે છે આ સંસ્થા હાલમાં થિયોસોફિકલ લોજ તરીકે ઓળખાય છે..
ઇ.સ. ૧૮૯૭ થી ૧૮૯૯ છપ્પનિયા દુષ્કાળ માં રાહત કામની શરૂઆત ભાવનગરથી કરવામાં આવી.. હા સુંદર કામગીરી સમગ્ર મુંબઈ ઇલાકામાં સર્વશ્રેષ્ઠ રહી હતી ..
બોર તળાવનું નવીનીકરણ આ જ સમયમાં કરવામાં આવ્યું બોરતળાવની ડિઝાઇન મૈસુર સ્ટેટ
શ્રી વિશ્વેશ સુરૈયા જીએ કર્યું વિશ્વે સુરાજી ના નામે અત્યારે ઇજનેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે આવા મહાન એન્જિનિયરે બોરતળાવની ડિઝાઈન બનાવેલી બોરતળાવ માનવ નિર્મિત આડબંધ પાળો બનાવીને બનાવેલું તળાવ છે..
માનવ નિર્મિત સુંદર મજાનું તળાવ છે તળાવના કાંઠે હવા ખાવાનો બંગલો જે આજે સુંદરવાસ નામે ઓળખાય છે તથા એક પાળા પર ભાવ વિલા પેલેસ નું નિર્માણ કરવામાં આવ્યું ....
આયુર્વેદને બળ આપવા આયુર્વેદિક કોલેજની રચના કરવામાં આવી
સર પ્રભાશંકર પટ્ટણીના નામે સાયન્સ કોલેજની રચના કરવામાં આવી
સર પ્રભાશંકર પટની સાયન્સ કોલેજ ..
મહારાજા સર ભાવસિંહજી પોલીટેકનીક કોલેજની રચના કરવામાં આવી..
ભાવનગર યુનિવર્સિટીના નિર્માણ માટે હજારો એકર જમીન આપવામાં આવી...
મહારાણી વિક્ટોરિયાના આગમન સમયે ભાવનગર શહેર મધ્યે વિશાળ જંગલનું નિર્માણ કરવામાં આવ્યું જે આજે વિક્ટોરિયા પાર્કના નામે ઓળખાય છે
ભારતભરમાં સૌ પ્રથમ રક્તપિતના દર્દીઓ માટે વિશાળ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું
ઇ.સ ૧૯૦૨ માં ભાવનગર દરબાર બેંકની સ્થાપના કરવામાં આવી જે પાછળથી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના નામથી ઓળખાય છે જે સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રમાં મર્જ થયેલ
ઈ.સ.૧૯૧૪ થી ૧૯૧૮ પ્રથમ વિશ્વયુદ્ધમાં સૌને પરિસ્થિતિથી વાકેફ રાખવા સૌપ્રથમ કવિ કાંતના સહાયથી ચોપાન્યુ બહાર પાડવામાં આવ્યું હતું ...
ઇ.સ ૧૯૧૮ બે મહત્ત્વના પ્રગતિશીલ પગલાં ભાવનગર રાજ્યે લીધા હતા ભાવનગર મુન્સી પાલીટી સમિતિના સભ્યોની સંખ્યા વધારીને વીસ સભ્યો તથા દસ અધિકારી તથા ૮ અન્ય એમ મળીને કુલ આડત્રીસ સભ્યો ..પ્રજા પ્રતિનિધિ સભાની જાહેરાત કરવામાં આવી
ઇ.સ ૧૯૦૫ હરિજનો માટે રાજ્ય ખાસ શાળાઓ શરૂ કરી હતી શ્રી અમૃતલાલ ઠક્કર (ઠક્કર બાપા) બળવંતરાય મહેતા દેવચંદભાઇ પારેખ રતિલાલ સામાણી દ્વારા પ્રયાસથી ભાવનગર વરતેજ બોટાદ સાવરકુંડલા વગેરે સ્થળોએ હરિજનો માટે છાત્રાલયો અને સ્કૂલો શરૂ કરવામાં આવી
ઇ.સ ૧૯૦૬ શેઠ ત્રિભોવનદાસ ભાણજી જૈન કન્યા વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી
ઈ.સ ૧૯૧૦ જૈનોનું પવિત્ર યાત્રાધામ પાલિતાણા માટે સિહોરથી પાલિતાણા રેલ્વે માર્ગ નાખવામાં આવ્યો
ઈ.સ ૧૯૧૩ બોટાદથી જસદણ રેલવે માર્ગ નાખવામાં આવ્યો
ઇ.સ ૧૯૧૬ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન ભાવનગરની સ્થાપના ના ત્રણ આધારસ્તંભ સમાન નાનાભાઇ ભટ્ટ ...શ્રી ગિજુભાઇ બધેકા શ્રી હરભાઈ ત્રિવેદી અા સંસ્થાના ૩ મુખ્ય આધાર સ્થંભ સમાન હતા
ઇ.સ ૧૯૧૮
શ્રી નંદકુંવરબા બાલાશ્રમની સ્થાપના કરવામાં આવી નિરાધાર અને અનાથ બાળકોને ભણાવી
યોગ્ય ઉંમરે પરણાવી સમાજ વ્યવસ્થામાં સ્થિર કરવા ભાવનગર રાજ્ય એ જવાબદારી લીધી
ઈ.સ ૧૯૨૦ શ્રી ગણેશ વેશંપાયન ડોક્ટર પુરષોતમ કાણે ના પ્રયાસથી પ્રથમ વ્યાયામ શાળા શરૂ થઇ હાલમાં તે ગણેશ ક્રિડા મંડળના નામે ઓળખાય છે .
.
ઇ.સ ૧૯૨૨ ખેડૂત દેવા સમિતિની રચના કરવામાં આવી
ખેડૂતોને ઋણ મુક્ત કરવા..આ યોજના તળે ખેડૂતોનું રૂપિયા ૮૦ લાખનું દેવું માફ કરવામાં આવ્યું હતું ..
ઇ.સ ૧૯૨૪ કુંડલા તાલુકાના જુના સાવર ગામે ગ્રામ પંચાયતની પ્રથમ શરૂઆત કરવામાં આવી આમ ગ્રામ પંચાયતની શરૂઆત ભાવનગર રાજ્યએ પ્રથમ કરી હતી
ઇ.સ ૧૯૨૪ ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન ભાવનગર ખાતે યોજાયું હતું
ઇ.સ ૧૯૨૫ ભાવનગર સ્ત્રી કેળવણી મંડળની સ્થાપના કરવામાં આવી શ્રી મુક્તાલક્ષ્મી મહાવિદ્યાલય એની પ્રથમ સ્કૂલ છે
ઇ.સ ૧૯૨૯ માં ગ્રામ પંચાયત અંગેના કાયદાઓ બનાવવામાં આવ્યા...
પૂજ્ય મહાત્મા ગાંધીની સૂચનાથી રાષ્ટ્રીય શાળાના આચાર્ય પદ છોડીને ભાઈ શંકર શિહોરી આ કામના પ્રથમ સેવક બન્યા
ના ગ્રામ સુધારણા ફંડનો અમલ કરવામાં આવ્યો
ઈ.સ ૧૯૩૨ મહારાજા સર કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાની સ્થાપના કરવામાં આવી
અંધ બાળકોને શિક્ષણ દ્વારા સ્વરોજગારી અને જીવન જીવવા માટેની પ્રેરણા પૂરી પાડતી સંસ્થાનું નિર્માણ જૂના કાઠિયાવાડમાં સૌપ્રથમ ભાવનગરમાં થયું
ઈ.સ.૧૯૩૫-૩૬ સમગ્ર ભારત વર્ષમાં સૌપ્રથમ ટેલિફોન એક્સચેન્જ સ્વયં સંચાલિત શરૂ કરવામાં આવ્યું ...૨૦૦ સૌપ્રથમ જોડાણ આપવામાં આવ્યું
ઈ.સ ૧૯૩૮ ભાવનગર ખાતે હવાઇ મથક એરપોર્ટનું નિર્માણ થયું ..
ઇ.સ ૧૯૩૮ લોક શાળાઓ તથા ઉત્તર બુનિયાદી શાળાઓની સ્થાપના શ્રી નાનાભાઇ ભટ્ટ
ઇ.સ ૧૯૩૮ ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા અને મણારની સ્થાપના શ્રી મનુભાઇ પંચોળી દર્શક ની સહાયથી શરૂ કરવામાં આવી જે શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની શાખા તરીકે આબલા માં ગ્રામ દક્ષિણા મૂર્તિની સ્થાપના થઈ...
ઇ.સ ૧૯૩૯ ઘરશાળા સંસ્થાની સ્થાપના પ્રખર કેળવણીકાર શ્રી હર ભાઇ ત્રિવેદીએ ભાવનગર મુકામે રહેણાંકીય શાળા તરીકે કરી .
ઈ.સ ૧૯૪૩ માં ગ્રામ પંચાયતના કાયદાઓ સુધારીને બનાવવામાં આવ્યા
ઇ.સ ૧૯૩૨ માં બીએસસી સાયન્સ ફેકલ્ટીના વર્ગો શરૂ કરવામાં આવ્યા
ઇ.સ ૧૯૩૯ રાજે પ્રજાની જવાબદાર તંત્રની ધારાસભા આપવાની જાહેરાત કરી
ઇ.સ ૧૯૪૧ માં આઝાદી પહેલા ધારાસભાનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો
જે ભાવનગર રાજ્યએ
સૌપ્રથમ પહેલ કરી હતી
ઈ.સ ૧૯૪૭ ભારત આઝાદ થતાં ભાવનગર હિન્દી સંઘમાં તારીખ ૧૫/૦૧/૧૯૪૭ રોજ જોડાયું ..
આમ સૌપ્રથમ મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત થઈ ભાવનગર મહારાજા
સર કૃષ્ણકુમાર સિંહજીએ ભારતના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલના વડપણ તળે ભાવનગર રાજ્ય સૌપ્રથમ આપી હિન્દી સંઘને મજબૂત બનાવવાની પહેલ કરી
ભાવનગર આપણું
ભાવનગર આપણાં સૌનું
આવો સૌ સાથે મળી
વિકસિત ભાવનગર ની કેડીઓ કંડારી ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને સાચા અર્થમાં શ્રદ્ધા સુમન અર્પણ કરી ભાવનગર રાજ્યનો શુભ જન્મદિવસ સાચી રીતે ઉજવીએ..
આવો સૌ સાથે મળી ભાવનગરના વિકાસ માટે આપણે સૌ સંકલ્પબધ્ધ બનીએ ...
બસ એ જ અભ્યર્થના
આપણે સૌ ભાવનગર વાસીઓને ભાવનગર સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા
સંજય બારૈયા....
જય હો ભાવેણા શેર...

અમદાવાદ-ભાવનગર-સુરત-ભાવનગર-અમદાવાદ વિમાની સેવાનો પ્રારંભ



 *નવી ઉડાન સેવા ને આવકાર અને સાંસદશ્રી નો અભીવાદન સમારેહ..*
અમદાવાદ-ભાવનગર-સુરત-ભાવનગર-અમદાવાદ વિમાની સેવાનો પ્રારંભ થઈ રહેલ હોય, આ ઉડાન સેવા ને આવકારવાનો તેમજ સાંસદ શ્રીમતી ડૉ. ભારતીબેન શિયાળ નો અભિવાદન કાર્યક્રમ માન. કેબીનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાના અધ્યક્ષસ્થાને તેમજ પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને ધારાસભ્ય ભાવનગર પશ્ચિમ શ્રી જીતુભાઈ વાઘાણી ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો
ઉપરોકત કાર્યક્રમ મા સંગઠન ના પદાધિકારીઓ, નગર સેવકો, શિક્ષણ સમિતીના સદસ્યો, મોરચા સેલ ના પ્રમુખ/મહામંત્રી દરેક વોર્ડના પ્રમુખ/મહામંત્રી વડીલો કાર્યકર્તા મિત્રો સાથે સમયસર ઊપસ્થિત રહયા
ભાવનગર

Free Admission for financial Weak studets into Self Finance School under Rigth to Education Scheme

"મફત શિક્ષણ મૂળભૂત અધિકાર" નો કાયદો લાવવામાં આવ્યો છે.
અપને બધા આ કાયદા નો લાભ બાળકો ના ભવિષ્ય ઘડતર માટે સહભાગી બનીયે.
RTE પ્રવેશ ની સરકારી જાહેરાત બહાર પડી ગઈ છે
૧૯/૪/૧૮ થી ૫/૫/૧૮ સુધી online અરજી www.rtegujarat.com પર કરવાની રહેશે ગુજરાત સરકારે નક્કી કરેલ પ્રાયોરિટી મુજબ પ્રવેશ અપાશે વધુ વિગત જાહેરાત માં થી ઉપલબ્ધ બનશે
ફોર્મ ભરવા માટે website www.rtegujarat.org
School List : http://www.rtegujarat.org/Home/SchoolList
Document Requirements : http://www.rtegujarat.org/Home/RequiredDocuments
શિક્ષણ નો અધિકાર એક્ટ ૨૦૦૯ અન્વયે ચાલુ વર્ષ માટે ગરીબ અને મધ્યમ વર્ગ ના બાળકો માટે ધોરણ ૧ માં admission ચાલુ થયેલ છે.
ભણતર માં વિકાસ એજ ભારત નો વિકાસ.

અષાઢી બીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ

હિંદુ ધર્મમાં તહેવારોનું સવિશેષ સ્થાન છે અને આપણી સંસ્કૃતિ આ તહેવારોને કારણે વધુ જીવંત થઇ ઉઠે છે. અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય અન...